કચ્છ,
બીડદા થી મોટા આસબીયા રોડ ઉપર બને સાઈડ રસ્તો ગણા ટાઈમ થી તૂટી ગયો છે પરંતુ વહીવટ તંત્ર ને જાણ નથી કે આંખ આડા કાન કરે છે અને આ રસ્તા ઉપર કોઈ મોટી જાન હાનિ કે માલ હાનિ થશે ત્યારે વહીવટ તંત્ર જાગશે અને આ વિસ્તારના ચૂંટાયેલા નેતાઓ ચૂપ ,આ વિસ્તારના નેતાઓ ચૂંટાયા પછી આ લોકો ક્યાંય નથી દેખાતા તો આ બાબતે વહીવટ તંત્ર ગોર નિંદ્રા માંથી જાગે અને આ રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે કરાવે કારણે આ રસ્તા ઉપર ગમે ત્યારે નાના કે મોટા વાહનો ને કે વાહન ચાલકોને નુકસાન થશે તો એની જવાબદારી વહીવટ તંત્ર ની રહેશે જેની વહીવટ તંત્ર નોંધ લે.
રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ